Gujarat Weather Forecast: ગુજરાતમાં આવનારી તારીખ 12 થી લઈને 14 જૂન સુધીમાં વાવાઝોડું આવે તેવી શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર પોરબંદરથી નલિયા વચ્ચેના વિસ્તારમાં વાવાઝોડનું ટકરાઈ તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુન મહિનાના પ્રથમ દસ દિવસ દરમિયાન એકી સાથે બે બે વાવાઝોડાઓ ટકરાઈ તેવી શક્યતાઓ રહેલી છે.
અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન વિભાગે આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપ્યું છે. આ બિપોરજોય વાવાઝોડાની શરૂઆતની દિશા એ મુંબઈ અને રત્નાગીરી તરફની રહશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તારીખ 13 જૂનની આજુબાજુ વાવાઝોડું એ ગુજરાતનાં દરિયા કિનારાની નજીક આવે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
તારીખ 13 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભારે પવનની સાથે સાથે વરસાદ પણ આવે તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 13 થી લઈને 14 જૂનના રોજ ગુજરાતનાં દરિયાય કિનારાના વિસ્તારો પર વાવાઝોડાનો ખુબજ મોટો ખતરો તોરાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે તારીખ 12,13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં 50 થી લઈને 100 કિલોમીટરની ઝડપ થી પવન પણ ફૂંકાઈ તેવી શક્યતાઓ રહેલી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.