You are currently viewing અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડું વધુ ખતરનાક બનશે ઘરોના છાપરા ઉડાળી નાખશે આ વિસ્તારોમાં અનરાધાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે

અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડું વધુ ખતરનાક બનશે ઘરોના છાપરા ઉડાળી નાખશે આ વિસ્તારોમાં અનરાધાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે

Biporjoy Cyclone: અરબ સાગર માં હાલ બિપોરજોય વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું ધારણ કરશે રોદ્ર સ્વરૂપ. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર વાવાઝોડું એ હાલ ગુજરાતથી દૂર છે. પરંતુ આ છતાં માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બધાજ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાવાઝોડાનો ટ્રેકનો ઝૂકાવ એ ઓમાન તરફનો જોવા મળી રહ્યો છે. પરંતુ અમે અહીં તમને જણાવી દઈએ કે જ્યારથી આ વાવાઝોડું સક્રિય થયું છે ત્યારથીજ તે પોતાની દિશા સતત બદલતું રહ્યું છે.




ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગોમાં વાવાઝોડું જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે. આજે દરિયામા પણ કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. વાવાઝોડું 2 થી લઈને 4 વખત ટ્રેક બદલી શકે છે. અને દરિયાઈ વિસ્તારો પર 5 નંબરનું સિગ્નલ લગાવવું પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. વાવાઝોડું એ  ગુજરાતના દરિયા કિનારાની નજીકથી પસાર થાય તેવી શક્યતાઓ રહેલી છે.તારીખ 11 અથવા 12 જૂન અસપાસ ગુજરાત નજીકથી પસાર થઇ શકે છે.




તેઓ એ કહ્યું કે આ વાવાઝોડાને લીધે ગુજરાતના સોંરાષ્ટ્રં વિસ્તારમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પણ પડે તેવી શક્યતાઓ રહેલી છે. સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જેના લીધે ઘરોના છાપરા અને વૃક્ષો પણ ધારાશાહી થઇ શકે છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply