You are currently viewing સાવધાન, એપ્રિલમાં બે આકાશી આફત આવશે અંબાલાલ પટેલની ભયકંર આગાહી

સાવધાન, એપ્રિલમાં બે આકાશી આફત આવશે અંબાલાલ પટેલની ભયકંર આગાહી

Big Forecast:- રાજ્યના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ આ વખતે તારીખો સાથે કરી દીધી વરસાદની ભયંકર આગાહી. તેઓએ કહ્યું કે તારીખ 12, 13 એપ્રિલ, 18, 19 એપ્રિલ, અને 23થી લઈને 28 એપ્રિલે સુધી માવઠું પડી શકે છે. અને તારીખ 12, 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. 18, 19 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 23થી 28 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં ખુબજ મોટો પલટો આવી શકે છે. જ્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વંટોળની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.

દુષ્કાળ પડવાની આ વર્ષે કેટલા ટકા છે સંભવના, જાણો શું ભયકંર આગાહી કરી હવામાન વિભાગે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને

http://bit.ly/410AjTq




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ જણાવ્યું કે, ઉત્તર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કહ્યું કે, હવે પછી જે માવઠું થશે તેની તીવ્રતા ખુબજ નહિવત હશે. ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, ના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આંધી સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.




તારીખ 12 એપ્રિલ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે અને, ફરી એક વાર રાજ્યના અમદાવાદ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર સહીત બોટાદ, અમરેલી, ભાવનગરમાં માવઠું પડી શકે છે..

તારીખ 13મી એપ્રિલના રોજ અમદાવાદમાં સહીત સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે, આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી અને ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે ઉનાળાની ઋતુમાં માવઠું થવા પાછળના મુખ્ય 4 કારણો જણાવ્યા છે જે માં . 1) લા નીનો, 2)  આફ્રિકાના વંટોળ, 3) ધ્રુવીય પલટો, 4) પશ્ચિમી વિક્ષોપ. અંબાલાલ પટેલે જણાવ્યું કે 1972માં પણ આવી જ સ્થિતિ ઉભી થઇ હતી. આ સ્થિત ઉદ્દભવવાને લીધે દુકાળ ની સ્થિતિ ઉદ્ભવી હતી.




તેઓએ જણાવ્યું કે આની સાથે સાથે રાજ્યમાં એક બીજી પણ આકાશી આફત આવવાની શક્યતા રહેલી છે, એપ્રિલના ત્રીજા સપ્તાહ દરમિયાન રૂવાળા બાળી જાય તેવી આકરી ગરમી પણ પડશે. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે 19 એપ્રિલ પછી ગરમી પડવાની સારું થઇ શકે છે. તેઓએ જણાવ્યું કે અમુક વિસ્તારોમાં તો ગરમીનો પારો 43થી 44 ડિગ્રી જેતો પોહચી શકે છે.

આવીજ હવામાન ને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply