સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે જ્ઞાનવત્સલ સ્વામી ના અમુક સુવિચારો લઈને આવ્યા છીએ.
આજના સુવિચારો:-
1) અમીર બનવું, લોકપ્રિય બનવું, ઉંચી ડિગ્રી લેવી કે સંપૂર્ણ બનવું એ જીવન નથી પરંતુ વાસ્તવિક બનીએ નમ્ર બનીએ અને દયાળુ બનીએ એ સાચી જિંદગી છે.
2) એવું ક્યારેય પણ વિચારીને નારાજ થવું નહિ કે કામ આપણે કરીએ છીએ અને નામ કોઈ બીજાનું થઇ જાય છે. ઘી અને રૂ એ સદીઓથી પોતે સળગતા આવ્યા છે, પરંતુ લોકો કહે છે કે દિવો બળે છે.
3)તમે તમારા જીવન નુ લક્ષ્ય નેજ એટલુ ઉચ્ચ બનાવી દો કે તમારી આગળ બીજી ખોટી બાબતો માટે સમય જ ના વધે.
4) તમે જો ખુબજ મહેંનત કરો છો છતાં પણ પણ તમારા સપનાઓ પુરા થતા નથી તો રસ્તો બદલી નાખો પણ સિધ્ધાત નહી. એક વૃક્ષ પણ પોતે હમેશા પાંદડાઓને બદલે છે પણ પોતાના મૂળને નહી.
5) દુનિયા માં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય અને દુનિયા માં એવી કોઈ સમસ્યા નથી કે જેનું કોઈ સમાધાન ના હોય.
આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.
આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.