Tadpatri Sahay Yojana 2022 । I Khedut Portal | I Khedut Portal Online Registration Process | તાડપત્રી સહાય યોજના
ખેતી પકોને વરસાદ કે અન્ય આબોહવાકીય પરિસ્થિતિ ઓથી સુર્ક્ષિત રાખવા માટે તાડપત્રી ખુબ જ મહત્વ ની ભૂમિકા ભજવતી હોય છે. પરંતુ આ તાડપત્રી બજારમાં ખુબ જ મોંઘા ભાવમાં મળતી હોય છે તેથી ઘણા નબળી આર્થીક સ્થિતિ ધરાવતા ખેડૂતો ખરીદી શકતા નથી જેથી ખેડૂતો નો પાક ઘણી વાર વરસાદ માં પલડી જતો હોય છે.
આ બધા જ મુદ્દા ઓને ધ્યાને રાખીને રાજ્યની (Government Of Gujarat) સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ને આર્થીક રીતે સહાય માટે (I Khedut Portal) પર તાડપત્રી સહાય યોજના ને અમલમાં મૂકી છે.
આ યોજનાનો લાભ કેટલા પ્રમાણ માં મળશે આ યોજનાની અરજી કરવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનાની અરજી કેવી રીતે કરવી તેની સંપૂણ માહિતી આ લેખમાં અમે આપવાનો પ્રયત્ન કર્યો છે તો આ લેખને અંત સુધી જરૂર થી વાંચજો
Tadpatri Sahay Yojana 2022
નાના, સીમંત અને આર્થીક રીતે નબળા ખેડૂતોને મદદ મળી રશે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા ખેત ઉત્પાદનને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી સહાય યોજના ને “ખેતીવાડી વિભાગ” દ્વારા I khedut Portal પર તારીખ ૨૧/૦૨/૨૦૨૨ ના રોજ અમલમાં મુકવા માં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી તાડપત્રી મળવાપાત્ર રહશે.
Highlight Point Of Tadpatri Sahay Yojana
યોજનાનું નામ | TadpatriSahay yojana 2022 |
અરજીની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદેશ્ય | ખેડૂતની ખેતી ઉત્પાદનને અબો હવા કીય પરીશ્થીતી સુર્ક્ષિત રાખવા |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
સહાય ની રકમ | કુલ ખર્ચ ના ૫૦% અને૭૫% અનામત જ્ઞાતિઓને મળશે . અથવા રૂ.૧૨૫૦/- અથવા રૂ.૧૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે |
અરજી માટેની વેબસાઈટ | http://ikhedut.gujarat.gov.in |
અરજી માટે ની છેલી તારીખ | ૨૧/૦૩/૨૦૨૨ |
તાડપત્રી સહાય યોજના ની પાત્રતા
રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજન માટે નીચે મુજબ ની પાત્રતા નકકી કરેલ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂત નાનો,સીમાંત અને નબળી આર્થીક પરીશ્થીતી ધરાવતો હોવો જોઈએ
- અરજી કરનાર પાસે પોતાની માલિકી ની જમીન હોવી જોઈએ
- આ યોજનાનો લાભ ત્રણ વાર મળવા પાત્ર છે
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ I Khedut Portal ઓનલાઈન અરજી કરવાની રહશે
- ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાળપત્રી મળવાપાત્ર રહશે.
Tadpatri Sahay Yojana Required Document
- આધારકાર્ડ ની ઝેરોક્ષ
- I khedut portal
- રેસનકાર્ડ ની ઝેરોક્ષ
- અનુસુચિતજાતી અને અનુસુચિત જન જાતિનું સર્ટીફીકેટ
- જમીન ના 7/૧૨ અને ૮-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદારના સામંતીપત્રક
- જો આત્માનું રાજીસ્ત્રેસન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળી અને દૂધ ઉદ્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક ખાતા ની પાસબૂક ની ઝેરોક્ષ.
Tadpatri Sahay Yojana 2022 Online Registration Process
તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (11) ક્રમે “તાળપત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
FAQ’S of Tadapatri Sahay Yojana
1) તાડપત્રી સહાય યોજનાનો લાભ કોને કોને મળવવા પાત્ર છે?
>> તાડપત્રી સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, સીમંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો ને મળવા પાત્ર રહશે.
૨) તાડપત્રી સહાય યોજના માં લાભાર્થી ને કેટલો લાભ મળવવા પાત્ર છે?
>> તાડપત્રીસહાય યોજના માં અનુસુચિત જ્ઞાતિઓને કુલ ખર્ચ ના ૭૫% અથવા રૂ.૧૮૭૫/- આ બને માંથી જે ઓછુ હોય તે સહાય મળશે. અને સામાન્ય જનરલ જાતી ના ખેડૂતોને કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.
૩)Tadapatri Sahay Yojana નો લાભ લેવા માટે ખેડૂતો એ ક્યાંથી અરજી કરવાની રહશે?
>> આ યોજના નો લાભ મેળવવા માટે ખેડૂતોએ I Khedut Portal પરથી અરજી કરવાની રહશે.
૪) તાડપત્રી સહાય યોજના માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ કઈ છે?
>> તાડપત્રી સહાય યોજના માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨ છે.